આપણી સંસ્કૃતિ માં ઘણી પ્રેમ કથાઓ પ્રસિધ્ધ છે.
જે આજના સમયની પ્રેમ કહાનીઓ થી ઘણી અલગ છે તેમના પર ઘણી ફિલ્મો અને સિરિયલો બની છે હું અહીં એમની નાની ઝલક પ્રસ્તુત કરવાં માંગુ છું તમારો પ્રતિભાવ જરૂરથી કહેશો…
1.જોધા – અકબર
એકવાર જ્યારે અકબર અજમેર માં મોઈનુદીન ચિશ્તી ની કબર પર નમાજ અદા કરવા જઈ રહ્યાં હતાં ત્યારે ત્યાં ના રાજવંશી રાજા ભારમલ એ તેમને ફરીયાદ કરી કે તેમના બનેવી શરીફ-ઉદીન-મીર્જા અમારા રાજ્ય ને પામવા માટે ઘણાં પરેશાન કરી રહ્યાં છે પણ અકબર પણ તે વખતે એક નિર્દયી રાજા હતો જ્યારે તેની નજર ખૂબસુરત રાજકુમારી જોધા પર પડી ત્યારે તેણે એક વાત મુકી કે જો તેમની રાજકુમારી ના લગ્ન મારી સાથે કરવામાં આવે તો હું તમારા રાજ્ય ને બક્ષી દઈશ જોકે આ વિવાહ બરાબરી માં નહોતો છતાં અજમેર ની રાજગાદી બચાવવાં માટે મહારાજા ભારમલે રાજવંશી રાજકુમારી જોધા ના લગ્ન મુઘલ બાદશાહ અકબર સાથે કરાવ્યાં જોધાની સહમતી ન હોવા છતાં તેમણે પિતાનું રાજવંશ બચાવવાં સહમતી આપી અને અેક મુગલ બાદશાહ અને રાજવંશી હિન્દુ રાજકુમારી ના લગ્ન થયાં.
જોધા પરણી ને દિલ્હીમાં આવી શરૂઆત માં જોધાઅને અકબર ના સબંધ સારા નહોતા રહ્યાં છતાં જોધા ને તેનાં ધર્મ બદલવા માટે કયારેય પ્રેરવામાં નહોતી આવી પરંતુ શરૂઆત માં અકબરની પાલક માતા [દાઈ ] મહામાંગા તથા અકબર ની પહેલી બેગમ રુકૈયા દ્વારા ધર્મ
માટે ઘણી સતામણી રહેતી છતાં હીન્દુ રાણીએ પોતાની આવડત અને સંસ્કાર થી મુઘલો ના તથા શહેનશાહ અકબર ના દિલ જીતી લીધાં હતાં
એકવાર બન્યું એવું કે અકબર ના દુશ્મન અબુન માલી એ એકવાર અકબર ને મારવા માટે એક વિષ કન્યા [બેનરજી ]ને મોકલી હતી જેણે પોતાનું ઝેર અકબરના ભોજન માં ભેળવી દીધું હતું અકબરે જોધા ની વાત ન માની અને બેનર્જી ની વાત માની ને એ ઝેરી ખીર ખાવાજતો હતો ત્યારે જોધા એ પોતાની વાત સાબિત કરવાં એ ખીર શહેનશાહ ના હાથ માંથી છીનવીને ખુદ ના
જીવ ની પરવા કર્યા વગર ખુદ આરોગી લીધી અને જોધા ત્યાંજ ઢળી પડી બધાંની સામે સત્ય આવી ગયું અને પુરા ભારત માંથી વૈધો બોલાવવામાં આવ્યાં અને જોધા ને મહા મહેનતે બચાવી લેવામાં આવી તથા બેનર્જી ને મૃત્યુ દંડ ફટકાર્યો
ત્યારબાદ જોધા અને અકબર ના સબંધ માં વધારો થયો અને અકબર નું પણ હ્રદય પરિવર્તન થયું અને તેમની પ્રેમ કહાની ખુબજ આગળ વધી છેવટે જોધા દ્વારા મુગલ સામ્રાજ્ય ને એક વારસદાર મળ્યો અને અકબરે જોધા ને મરીયમ – ઉજ – જમાની નું પદ અપાયું અને જોધા અને અકબર નો પ્રેમ અમર બની ગયો
જોધા અકબર ના પુત્રનું નામ સલીમ રાખવામાં આવ્યું હતું જેની એક નાટિકા અનારકલી સાથે પ્રેમ ગાથા પણ પ્રસિદ્ધ છે
આગળ ની ઐતિહાસિક પ્રેમ ગાથાઓ નો દોર ચાલુ રહેશે આવતાં અંકે
halfdream….. sapna
To be continued….