મારું મારું કરીને સર્વે મેળવ્યું રે
તેમાં તારું નથી તલભાર
દરેક વસ્તુમાં મનુષ્ય મારું મારું જ કરે છે. પરંતુ તેમાં તારું કંઈ જ નથી. તારું માત્ર ને માત્ર કર્મ છે. પુણ્ય કરીશ તો પણ તારું છે અને પાપ કરીશ તો પણ તારું જ છે. માણસને એમ લાગે છે કે ઘર,બંગલા,ગાડી દોલત આ બધી મારી કમાણી છે અને બધું જ મારું છે. પરંતુ તેમાં તારું કશું જ નથી. સર્વે વસ્તુ પ્રભુની જ છે જુઓ તમે સર્વ પ્રભુને અર્પણ કરશો તો જ ભગવાન તમારી પાસે આવશે. આ વાત પરથી મને એક મહાભારતનો પ્રસંગ યાદ આવે છે.
ધૃતરાષ્ટ્રને રાજ્ય, સત્તા,મહેલ અને સંતાનોનો મોહ હતો. તેને માત્ર એમ જ હતું કે આ બધું જ મારું છે. વિદુરજીએ અધર્મના પાયા પર ઉભેલી તે સત્તાનો ત્યાગ કરીને હસ્તિનાપુરમાં ગંગા કિનારે નાનકડું ઝૂંપડું બાંધીને રહ્યા. તેણે તે ઝૂંપડું પણ કૃષ્ણઅર્પણ કર્યું હતું. તેણે સર્વ શ્રીકૃષ્ણનું જ છે તેવું માનીને માત્ર ભક્તિ જ કરી હતી. તેથી જ તો ભગવાન શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રના છપ્પન ભોગનો ત્યાગ કરીને વિદુરજીની ભાજી જમ્યા હતા. આપણે સર્વ પ્રભુને અર્પણ કરીશું તો જ પ્રભુ આપણી પાસે આવશે.
જયશ્રીકૃષ્ણ
halfdream….. sapna